J.N.V. એન્ટ્રન્સ એકઝામ તારીખ :- 29/4/2023 હતી.તે પણ મોકૂફ રાખવામાં આવી, હવે પછી પરીક્ષા ક્યારે લેવામાં આવશે તેની સંપૂર્ણ માહિતી આ લિંકમાં છે.
સંપૂર્ણ ભારતમાં પ્રત્યેક જિલ્લામાં એક ‘જવાહર નવોદય વિદ્યાલય’ શરૂ કરવાનું નક્કી કર્યું છે.
🔀 યોગ્ય ક્ષમતા ધરાવતા ઉમેદવાર મળ્યા પછી પ્રત્યેક જવાહર નવોદય વિદ્યાલયના છઠ્ઠા ધોરણના વર્ગમાં વધારેમાં વધારે 80 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે.
🔀 આ વિદ્યાર્થીઓ માટે ધોરણ 6 થી 8 સુધીનું શિક્ષણ મફત હોય છે, જ્યારે 9 થી 12 ના વિદ્યાર્થીઓ એ દર મહિને રૂપિયા 600 ફી ભરવી પડે છે. અનુસૂચિત જાતિ , અનુસૂચિત જનજાતિ , છોકરીઓ અને જે વિદ્યાર્થીઓના વાલી ની વાર્ષિક આવક દરિદ્રતા ની સપાટીની નીચે હોય તે બધાની થી માફ કરવામાં આવે છે.
J.N.V. એન્ટ્રસ એક્ઝામ મા છેલ્લા બે વર્ષથી પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે આ લીંક પર ક્લિક કરવાથી સંપૂર્ણ ખ્યાલ આવશે...
Link :- Click Me
(A) આ પરીક્ષા સ્પર્ધાત્મક હોવાને કારણે ઉમેદવારે ફક્ત પરીક્ષામાં ઉત્તીર્ણ થવું પૂરતું નથી. વધારેમાં વધારે ગુણ મેળવીને ગુણવત્તા યાદીમાં તેણે ઉપર નો ક્રમાંક મેળવવો પણ આવશ્યક છે.
(B) પરીક્ષામાં અધિક ગુણ મેળવ્યા એટલે જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મળશે જ એવું માની લેવું નહીં. પ્રત્યક્ષ પ્રવેશ મેળવતી વખતે સમિતિએ નક્કી કરેલ યોગ્ય પ્રમાણપત્ર રજૂ કર્યા પછી જ પ્રવેશ મળી શકે છે.
(C) પ્રત્યેક પ્રવેશ આપતી વખતે જવાહર નવોદય વિદ્યાલયના આચાર્ય બધા જ પ્રમાણપત્રો તપાસીને ખાતરી કરે ત્યાં સુધી, જવાહર નવોદય વિદ્યાલય કરેલી પસંદગી હંગામી હોય છે, એમ સમજવું
(D) કોઈ પણ પ્રકારની ફરિયાદ બાબત જવાહર નવોદય વિદ્યાલય સમિતિનો નિર્ણય છેવટનો અને બંધન કર્તા હોય છે.
(E) ફક્ત પસંદગી પામેલા ઉમેદવારોના પરિણામ જ સંબંધિત જવાહર નવોદય વિદ્યાલયના આચાર્ય / જિલ્લા શિક્ષણ અધિકારી / ક્ષેત્રીય સલાહકારને જણાવવામાં આવે છે.
(F) પસંદ થયેલા અને ના પસંદ થયેલા ઉમેદવારો ના ગુણ જણાવવામાં આવતા નથી. આમ છતાં ; પસંદગી પરીક્ષા નું પરિણામ દુરદર્શન, આકાશવાણી અને વિવિધ વર્તમાનપત્રો દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે છે. કોઈપણ કારણસર વિદ્યાર્થી ની બદલી બીજા નવોદય વિદ્યાલયમાં કરવામાં આવતી નથી.
(G) ઉત્તર - પુસ્તિકાની ફેર તપાસની માટે કોઈ પણ વ્યવસ્થા નથી. કોમ્પ્યુટર પર પરિણામ તૈયાર થતું હોવાથી, ફરીથી ગુણના સરવાળા ની તપાસ ની આવશ્યક હોતી નથી, કારણ કે પરિણામ તૈયાર કરતી વખતે તેના પ્રત્યેક સોપાન ચોક્કસપણે તપાસવાની કાળજી લેવામાં આવે છે.
(H) કોઈપણ પ્રકારની તપાસ કરાવતી વખતે ઉમેદવારે તેનું નામ,ક્રમાંક સાથે કેન્દ્રક્રમાંક, જૂથ , જિલ્લો અને રાજ્યની માહિતી આપ્યા સિવાય તેના પર ધ્યાન આપવામાં આવતું નથી.
(I) ઉમેદવારે અને વાલીએ આ વાત ધ્યાનમાં રાખવી : નવોદય વિદ્યાલયના નિયમાંનુસાર અને રાષ્ટ્રીય એકાત્મતા જાળવી રાખવાની દ્રષ્ટિએ એક નવોદય વિદ્યાલયમાં નો વિદ્યાર્થી 9 મા ધોરણ માં જાય, કે તેને બીજા નવોદય વિદ્યાલયમા મોકલવામાં આવે છે. જો વિદ્યાર્થી સ્થળાંતર થવા માટે, ના પાડે તો તેને નવોદય વિદ્યાલયમાં આગળ ભણવાની પરવાનગી આપવામાં આવતી નથી.
(J) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારની પસંદગી થાય, તો તેને જાતિનું પ્રમાણપત્ર પ્રવેશ મેળવતી વખતે રજુ કરવું પડે છે. આવું પ્રમાણપત્ર પ્રવેશ વર્ષની તારીખ :- 30 માર્ચ પહેલા સક્ષમ અધિકારી પાસેથી મેળવવું પડે છે. આમ તેણે પ્રવેશ મેળવતી વખતે જવાહર નવોદય વિદ્યાલયના આચાર્ય ને જાતિ પ્રમાણપત્ર આપવાનું આવશ્યક છે.
No comments:
Post a Comment