નમસ્કાર મિત્રો,
વિદ્યાર્થી ની ગાણિતિક મૂળભૂત ક્ષમતાનું કૌશલ્ય નું માપ કાઢવું. એ આ વિભાગનો મુખ્ય ઉદ્દેશ છે.
(A) જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ના પ્રશ્નપત્ર ના અંકગણિત વિભાગમાં કુલ :- 25 ગુણના 20 પ્રશ્નો આપવામાં આવે છે.પ્રત્યેક સાચા ઉત્તર માટે 1.25 (સવા) ગુણ ફાળવવામાં આવે છે. બધા પ્રશ્નો ફરજિયાત હોય છે.
(B) ઉત્તર પુસ્તિકામાં કાચું કામ કરવા માટે આપેલી જગ્યામાં જ ઉમેદવાર ગણતરી કરવાની અથવા જરૂરી કાચું કામ કરવાનું હોય છે.
(C) ઉત્તર પુસ્તિકામાં માત્ર આંતરરાષ્ટ્રીય આંકડાઓનો જ (1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 0) ઉપયોગ કરવાનો હોય છે.
(D) દરેક પ્રશ્ન માટે A , B, C , D એમ ચાર વિકલ્પો (પર્યાયો) આપેલા હોય છે, જેમાનો માત્ર એક જ સાચો ઉત્તર હોય છે. ઉમેદવારે આ સાચો ઉત્તર પસંદ કરી તેને સંગત અક્ષર બતાવતું વર્તુળ ગાઢ કરવાનું હોય છે.
(E) જવાહર નવોદય પરીક્ષાના ત્રણેય વિભાગો માટે ફાળવેલા બે કલાક પૈકી, 30 મિનિટમાં અંકગણિત નો વિભાગ ઉકેલીને પૂર્ણ થાય એવી કાળજી રાખવી.
(F) વિભાગ-3 અંક ગણિત ના 425 દાખલાઓ નું સંપૂર્ણ સોલ્યુશન તેમજ 2000 થી 2019 સુધી પુછાયેલા તમામ દાખલા ઓનું સોલ્યુશન આ આપેલ લીંક માં મળી રહેશે… Link :- Click Me Must visit this link for Solutions of All chapters given below of Textbook :- 2023- 24
સોલ્યુશન બુક માં સમાવિષ્ટ પ્રકરણ :-
(1) સંખ્યા અને સંખ્યા લેખન પદ્ધતિ
(2) પૂર્ણ સંખ્યા પરની ચાર મૂળભૂત પ્રક્રિયાઓ
(3) અપૂર્ણાંક સંખ્યાઓ અને તેમના પરની ચાર મૂળભૂત પ્રક્રિયાઓ
(4) અવયવ અને ગુણક (ગણી સંખ્યા) (તેના ગુણધર્મો સહ)
(5) આપેલી સંખ્યાઓ ના લઘુત્તમ સાધારણ અવયવી અને ગુરૂતમ સાધારણ અવયવ
(6) દશાંશ અપૂર્ણાંક અને તેમના પરની મૂળભૂત પ્રક્રિયાઓ
(7) વ્યવહારિક અપૂર્ણાંકનું દશાંશ અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંકનું વ્યવહારિક અપૂર્ણાંક માં રૂપાંતર
(8) લંબાઈ, વસ્તુમાંન, સમતા (ધારકતાં), સમય, ચલણ (નાણાં) , વગેરે રાશિ નું માપન
(9) અંતર, સમય અને ગતિ
(10) અંદાજીકરણ
(11) સંખ્યા સૂચક (સંખ્યાત્મક) પદાવલીનું સાદુરૂપ
(12) ટકાવારી અને તેના ઉપયોગ
(13) નફો - તોટો
(14) સાદુ વ્યાજ
(15) પરિમિતિ , ક્ષેત્રફળ અને કદ (ઘનફળ)
👉આ સંપૂર્ણ પ્રકરણનું સરળ સોલ્યુશન અહીં આ લીંક માં ક્લિક કરવાથી મળી રહેશે…..
Link :- Click Me Must visit this site you will get the PDF of solutions of all chapters given above....
st
No comments:
Post a Comment