માનવ સંસાધન વિકાસ મંત્રાલય ભારત સરકાર
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ને ગુજરાતના શિક્ષણ જગતના હિતધારકો તેમજ ગુજરાતના દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાના શુભ આશય સાથે ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન, ગાંધીનગર દ્વારા તેનું ગુજરાતી સંસ્કરણ તૈયાર કરવાનો સંનિષ્ઠ પ્રયાસ છે. આ ગુજરાતી સંસ્કરણ નો હેતુ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ને સરળ ભાષામાં જન સુલભ બનાવવાનો છે. ભારત ના વિદ્યાર્થીઓ ભલેને તે બાલમંદિરમાં હોય કે પછી કોલેજમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓ ભણી રહ્યા હોય પણ જો તેવો ઝડપથી બદલાતા સમય અને ઝડપથી બદલાતી જરૂરિયાતોને અનુલક્ષીને ભણશે તો એ રાષ્ટ્રીય નિર્માણમાં પોતાનું મોટું યોગદાન આપી શકશે. વિતેલા ઘણા વર્ષોથી આપણી શિક્ષણ નીતિ માં કોઈ મોટો ફેરફારો થયા ન હતા. પરિણામે આપણા સમાજમાં જિજ્ઞાસાવૃત્તિ અને કલ્પના શક્તિના મૂલ્યને પ્રોત્સાહિત કરવાને બદલે ચીલા ચાલુ પ્રથાને જ પ્રોત્સાહન મળવા લાગ્યું હતું. ક્યારેક ડોક્ટર બનવાનો તો ક્યારેક ઈજનેર બનવાનો તો ક્યારેક વકીલ બનવાનો ગાડરિયો પ્રવાહ ચાલ્યો. રસ , ક્ષમતા અને બાળકના મનને સમજ્યા વગર આંધળા ગાડરિયો પ્રવાહ માંથી શિક્ષણને બહાર નીકળવું જરૂરી હતું. (શિક્ષણ દ્વારા) વિવેચનાત્મક વિચારો અને નાવીન્યપૂર્ણ વિચારો વિકસિત કેવી રીતે થાય ? (તે ધ્યેય હોવું જોઈએ) આપણા શિક્ષણમાં શિક્ષણ માટે ઉત્કંઠા ન હોય, શિક્ષણ નું તત્વજ્ઞાન ન હોય , શિક્ષણનો હેતુ સ્પષ્ટ ન હોય (ત્યાં સુધી શિક્ષણ પરિપૂર્ણ ન કહેવાય) રવીન્દ્રનાથ ટાગોર કહેતા હતા કે, ‘ઉચ્ચતમ શિક્ષણ એ છે કે જે આપણને માત્ર માહિતી નથી આપતું પરંતુ આપણા જીવનને આપણા સમગ્ર અસ્તિત્વની સાથે સદભાવ સુધી લઇ જાય છે.’ નિશ્ચિતરૂપે પ્રસ્તુત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માં આ બૃહદલક્ષ પણ જોડાયેલું છે. એટલા માટે ટુકડામાં વિચારવાને બદલે સમગ્રતાલક્ષી અભિગમ ની જરૂરિયાત હતી ; જેને યોજનાબધ્ધ કરવામાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સફળ રહી છે. વધુ માહિતી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 જાણવા માટે આ લિંક પર ક્લિક કરો....
Link for more deatils :- Click Me
No comments:
Post a Comment