તાલુકા જિલ્લા અને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપવા અંગે...
👉 રાજ્યની સરકારી - બિન સરકારી, અનુદાનિત, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હાલમાં શૈક્ષણિક કાર્ય કરતા શિક્ષકો મુખ્ય શિક્ષકો અને દિવ્યાંગ બાળકોને શિક્ષણ આપતી સરકારી અને બિનસરકારી અનુદાનિત સંસ્થાઓના શિક્ષકોમાંથી શ્રેષ્ઠ શિક્ષક તરીકે દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા પસંદગી કરી પારિતોષિક આપવાની યોજના અમલમાં આવેલ છે અને તે પ્રમાણે સપ્ટેમ્બર 2021 માં એનાયત કરવાનો શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરવા માટે તાલુકા જિલ્લા કક્ષાએથી જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિ તરફથી ભલામણો સાથેની દરખાસ્ત મંગાવવામાં આવે છે. જિલ્લા શિક્ષણાધિકારીએ આવી દરખાસ્તો આ કચેરીને નીચેના સમયપત્રક પ્રમાણે રૂબરૂમાં મોકલી આપવા જણાવવામાં આવે છે. જિલ્લાની દરખાસ્તો વિલંબ થી રજૂ થવાના પરિણામે ઘણી વહીવટી મુશ્કેલી ઉપસ્થિત થઈ શકે છે, આવું ન બને તેની કાળજી લેવી...
👉 શિક્ષક પોતે વાલીઓ સમાજની વ્યક્તિઓ અથવા શિક્ષણ સાથે સંકળાયેલા અન્ય લોકો દ્વારા કોઈ શિક્ષક ના નામની ભલામણ થાય તો તેને દરખાસ્ત તરીકે ગણી વિચારણામાં લેવાની રહેશે.
👉 શ્રેષ્ઠ શિક્ષક માટેની અરજી કરવા માટે તૈયાર કરવાની ફાઈલ ના નમુના આ લિંક પર સંપૂર્ણ ફાઇલ આપેલ છે જે ખૂબ માર્ગદર્શક રૂપ બની રહેશે..
Link :- Click Here
No comments:
Post a Comment